बदलते भारत की तस्वीर, बदलते गुजरात की तस्वीर

Lokvanchit Varta

Slide 1 Heading
Lorem ipsum dolor sit amet consectetur adipiscing elit dolor
Click Here
Slide 2 Heading
Lorem ipsum dolor sit amet consectetur adipiscing elit dolor
Click Here
Slide 3 Heading
Lorem ipsum dolor sit amet consectetur adipiscing elit dolor
Click Here
Previous slide
Next slide

જુનાગઢ પોલીસના કરોડોના તોડ કાંડમાં હવે બેંકો સુધી તપાસ પહોંચશે

 

06

તોડકાંડના કહેવાતા મુ્ખ્ય ભેજાંબાજ તરલ ભટ્ટે અન્ય જિલ્લાની સાયબર ક્રાઈમ સેલ તેમજ SOGમાં પણ ગોઠવણો કરી હોવાની આશંકા, ત્રણ આરોપી પોલીસકર્મી હજુ ફરાર

અમદાવાદ: લાખો-કરોડોના વ્યવહાર થયા હોય તેવા બેંક અકાઉન્ટ્સ ફ્રીઝ કરાવીને મોટી રકમનો તોડ કરવાના જુનાગઢ પોલીસના કથિત કાંડમાં પોલીસ સિવાય બીજા પણ લોકો સંડોવાયેલા હોવાની શંકા સેવાઈ રહી છે. આ કેસમાં જુનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જુનાગઢ સાયબર ક્રાઈમ સેલના પીઆઈ એ.એમ. ગોહિલ, ASI દીપક જાની અને માણાવદરના સર્કલ પી.આઈ. અને આ કાંડના કહેવાતા મુખ્ય ભેજાબાજ તરલ ભટ્ટને આરોપી બનાવવામાં આવ્યા છે. હાલ આ મામલાની તપાસ કરી રહેલી ગુજરાત એટીએસના DIG દીપન ભદ્રને ખાસ ટીમ બનાવીને કૌભાંડના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે, ત્યારે સૂત્રોના હવાલેથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે પોલીસ તપાસનો રેલો આગામી દિવસોમાં બેંકોના અધિકારીઓ સુધી પણ પહોંચી શકે છે.

તરલ ભટ્ટ (ડાબે), પીઆઈ ગોહિલ (જમણે, ઉપર), ASI જાની (જમણે, નીચે)

લેન્ડલાઈન પરથી થયા હતા કોલ્સ 

 

                                                                          પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, પીઆઈ ગોહિલે પોતાની ઓફિસના લેન્ડ લાઈન નંબર પરથી બેંકો અને અમુક ખાતેદારોને ફોન કર્યા હતા, જેથી તેની પણ કોલ ડિટેઈલ્સ મેળવવામાં આવી રહી છે. કેરળના એક યુવકના HDFC બેંકમાં રહેલા અકાઉન્ટને ફ્રીઝ કર્યા બાદ તેને જુનાગઢ બોલાવી તેની પાસેથી ASI જાનીએ 25 લાખ રૂપિયાની કથિત ડિમાન્ડ કર્યા બાદ રેન્જ આઈજીને રજૂઆત કરાયા બાદ આ કાંડનો ભાંડો ફુટ્યો હતો, પરંતુ ફરિયાદ નોંધાઈ ત્યાં સુધીમાં આ કેસના ત્રણેય આરોપી એવા સસ્પેન્ડેડ પોલીસકર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા હતા.

આરોપીઓનો હાલ કોઈ પતો નહીં

ASI દીપક જાનીએ માણાવદર સર્કલ પીઆઈ તરલ ભટ્ટે સાયબર ક્રાઈમના ઈન્સ્પેક્ટર ગોહિલને 335 બેંક અકાઉન્ટ્સની વિગતો ધરાવતી ત્રણ એક્સેલ શીટ મોકલી હોવાનો દાવો કર્યો હતો. જોકે, તરલ ભટ્ટ પાસે આ માહિતી ક્યાંથી આવી તેની કોઈ વિગતો હજુ સુધી જાણવા નથી મળી. બીજી તરફ સૂત્રોના હવાલેથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે વિવાદિત ભૂતકાળ ધરાવતા તરલ ભટ્ટ ધરપકડથી બચવા માટે વિદેશ ભાગી ગયા હોય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

આ કેસની ફરિયાદ નોંધાઈ ત્યારે જુનાગઢમાં જ 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી ચાલી રહી હતી, અને તેમાં તરલ ભટ્ટ પણ હાજર હતા. જોકે, ફરિયાદ નોંધાયા બાદ તે ક્યાં ગાયબ થઈ ગયા તેની કોઈને કશીય ખબર નથી. તરલ ભટ્ટે આપેલા લિસ્ટના આધારે પીઆઈ ગઢવીએ જે 335 બેંક અકાઉન્ટને ટાર્ગેટ કર્યા હતા તેને ફ્રીઝ કરાવવા માટે ફેક ઈનપુટ ઉભું કરવામાં આવ્યું હતું અને તેના આધારે જ બનાવટી નોટિસો કાઢીને બેંકોને અકાઉન્ટ્સ ફ્રીઝ કરવા માટે આદેશ કરાયો હતો. તરલ ભટ્ટ સહિતના ત્રણ પોલીસકર્મીની ત્રિપુટીએ આચરેલા આ કાંડને ગુજરાત પોલીસનો અત્યારસુધીનો સૌથી મોટો કાંડ પણ ગણાવવામાં આવી રહ્યો છે, જેમાં તોડની રકમના 50% તરલ ભટ્ટને મળતા હતા તેવી પણ ચર્ચા છે, અને આ રકમનો વહીવટ તરલ ભટ્ટ અમદાવાદ સ્થિત પોતાના બાતમીદારો દ્વારા કરાવતા હતા તેવા પણ દાવા થઈ રહ્યા છે.

તરલ ભટ્ટનો વિવાદિત ભૂતકાળ

તરલ ભટ્ટ અમદાવાદમાં પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચમાં તૈનાત હતા ત્યારે તેમના પર 1800 કરોડ રૂપિયાના એક સટ્ટા કૌભાંડમાં મોટો તોડ કરવાનો આક્ષેપ થયો હતો, અને આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેમની વિરૂદ્ધ તપાસ પણ શરૂ કરાઈ હતી અને ત્યારબાદ તેમની રાતોરાત જુનાગઢ બદલી કરી દેવાઈ હતી. જોકે, જુનાગઢ પહોંચીને પણ તરલ ભટ્ટે પોતાના જૂના સંપર્કો દ્વારા જેમાં સટ્ટાની રકમની લેવડ-દેવડ થતી હોય તેવા બેંક અકાઉન્ટ્સની માહિતી મેળવીને તોડપાણીનું એક નવું જ પ્રકરણ શરૂ કર્યું હતું તેવો સૂત્રોનો દાવો છે.

તરલ ભટ્ટ આણીમંડળીએ જે બેંક અકાઉ્ન્ટસને ટાર્ગેટ કર્યા હતા તેમાંના અમુક જેન્યુઈન હતાં, જ્યારે મોટાભાગના અકાઉન્ટ્સ ફેક દસ્તાવેજો દ્વારા ખોલાવવામાં આવ્યા હતા. તરલ ભટ્ટ દ્વારા મોકલાયેલી એક્સેલ શીટમાં જે અકાઉન્ટ્સની વિગતો હતી તેમને ફ્રીઝ કરાવવાનું જુનાગઢ સાયબર ક્રાઈમ દ્વારા 17 નવેમ્બર 2023થી શરૂ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે ફ્રીઝ થયેલા મોટાભાગના અકાઉન્ટ્સ ફરી એક્ટિવ કરાવવા માટે લાખો-કરોડોના વ્યવહાર થયા હોવાની પણ પૂરી શક્યતા છે.

પોલીસે વગર કોઈ ફરિયાદે 335 અકાઉન્ટ્સ બ્લોક કરાવી દીધા

કાયદા અનુસાર, પોલીસ જે કેસમાં FIR દાખલ થઈ હોય તેમાં જ બેંક અકાઉન્ટને ફ્રીઝ કરાવવાની સત્તા ધરાવે છે, પરંતુ જુનાગઢ પોલીસના આ કાંડમાં કોઈ ફરિયાદ નોંધાઈ જ નહોતી અને તેના વગર જ 335 બેંક અકાઉન્ટ્સને ફ્રીઝ કરાવી દેવાયા હતા. પોલીસ સૂત્રોનું એવું પણ કહેવું છે કે હાલ ATS દ્વારા અન્ય જિલ્લાની સાયબર ક્રાઈમ સેલ્સ દ્વારા પણ આવું કોઈ રેકેટ ચલાવાતું હતું કે કેમ તેની તપાસ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, જુનાગઢ સાયબર ક્રાઈમના ASI જાનીએ કેરળથી આવેલા યુવકને એવું કહ્યું હતું કે અમદાવાદ-ગાંધીનગરની પોલીસ દ્વારા જે અકાઉન્ટ્સ ફ્રીઝ કરાવાય છે તેને અનફ્રીઝ કરાવવા 20-25 લાખ રૂપિયા કે પછી ખાતામાં જમા પડેલી રકમના 80% લેવામા આવે છે.

આ યુવકે એક સમયે પોતાનું ખાતું ફરી એક્ટિવ કરાવવા ચારેક લાખ રૂપિયા સુધીનો વ્યવહાર કરવાની પણ તૈયારી બતાવી હતી, પરંતુ ત્યારે ASI જાનીએ કેરળના અરજદારને એવો જવાબ આપ્યો હતો કે ચાર લાખ રૂપિયામાં તો અમારા PI સાહેબ તારી સાથે વાત કરવા પણ તૈયાર નહીં થાય. જેના થકી આ સમગ્ર કાંડ બહાર આવ્યો છે તેવા કેરળથી આવેલા યુવકે તેની પાસે સાયબર ક્રાઈમમાં 25 લાખ રૂપિયાની ડિમાન્ડ કરાઈ તેની જાણ જુનાગઢના એસપીને કરવાને બદલે સીધી રેન્જ આઈજીને કેમ કરી તે બાબતે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.

Source link

Recent Posts
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram
X
Email
अंबेडकरवादी एकता मिशन सूरत

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.